રાજકારણ@ગુજરાત: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપી ચીમકી, 'પાર્ટી વિરોધી કામ કરનારાઓને નહીં ચલાવી લેવાય'

 
મનસુખ વસાવા

કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી છે, એકમાત્ર બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. લોકસભામાં આ વખતે ભરુચ બેઠક પરથી ફરી એકવાર ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાની જીત થઇ છે અને દિલ્હી પહોંચ્યા છે. તેઓએ હાલમાં જ એક જાહેર સભામાં આકરા વલણમાં ચિમકી આપી છે, આ ચિમકી પક્ષના કાર્યકરો અને પક્ષ વિરોધી કામ કરનારા લોકોને આપી છે.

ભરુચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ કડક શબ્દોમાં પાર્ટી કાર્યકર્તાઓને ચિમકી આપી છે. તેઓએ કહ્યું કે, કેટલાક લોકો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ચિમકી ઉચ્ચારતા મનસુખ વસાવાએ કહ્યું કે, પાર્ટીને નુકસાન પહોંચાડનારાઓને નહીં ચલાવી લેવાય, કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે, કેટલાક આપણા કાર્યકર્તા કૉંગ્રેસવાળાને બચાવે છે. આવુ કોઈપણ હિસાબે ચલાવી નહીં લેવાય. તેમણે એમ પણ કહ્યું કે, મને ખબર છે કોના કોના તાર ક્યા અડેલા છે.