રાજકારણ@રાજસ્થાન: BSPમાંથી કોંગ્રેસમાં આવેલા 4 MLA દિલ્હી પહોંચ્યાં, રાજકીય માહોલ ગરમાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં કોંગ્રેસની સ્થિતિ લથડતી જતી હોય તેમ પંજાબ બાદ હવે રાજસ્થાનમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 ધારાસભ્યો મુખ્યમંત્રીએ અંધારામાં રાખી દિલ્હી પહોંચ્યાં છે. BSPમાંથી કોંગ્રેસમાં આવેલા 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા તો અન્ય 2 ધારાસભ્યો મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા
 
રાજકારણ@રાજસ્થાન: BSPમાંથી કોંગ્રેસમાં આવેલા 4 MLA દિલ્હી પહોંચ્યાં, રાજકીય માહોલ ગરમાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં કોંગ્રેસની સ્થિતિ લથડતી જતી હોય તેમ પંજાબ બાદ હવે રાજસ્થાનમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 ધારાસભ્યો મુખ્યમંત્રીએ અંધારામાં રાખી દિલ્હી પહોંચ્યાં છે. BSPમાંથી કોંગ્રેસમાં આવેલા 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા તો અન્ય 2 ધારાસભ્યો મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે BSPના 6 ધારાસભ્યોને ઘણા સમય પહેલા કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ ધારાસભ્યોને તે સમયે મંત્રીપદનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. હવે તે 6 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો બાગી બનવા લાગ્યા છે. આ ધારાસભ્યોની ધીરજ ખૂટવા લાગી છે. તેમને લાગતું હતું કે, મંત્રીમંડળમાં કોઈ જગ્યા મળી જશે અથવા કોઈ રાજકીય પદ મળી જશે. પરંતુ જે રીતે રાજસ્થાનના મંત્રીમંડળનું સતત મોડું થઈ રહ્યું છે તેને લઈ એવું માનવામાં આવે છે કે, બસપામાંથી આવેલા ધારાસભ્યોમાં ખૂબ જ નારાજગી છે. આ કારણે 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં આ ધારાસભ્યોના કાર્યક્રમને લઈ વિવિધ અટકળો થઈ રહી છે. દિલ્હી આવેલા 4 ધારાસભ્યોમાં રાજેન્દ્ર સિંહ ગુઢા, વાજિબ અલી, સંદીપ કુમાર, લાખન સિંહનો સમાવેશ થાય છે. ચારેય ધારાસભ્યો એક જ ગાડીમાં દિલ્હી પહોંચ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ધારાસભ્યોના કોંગ્રેસમાં જવાના નિર્ણયને BSPએ સુપ્રીમ કોર્ટમાં પક્ષ બદલીના કાયદા અંતર્ગત પડકારી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જ આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ રજૂ કરવા કહ્યું હતું. હવે આ ધારાસભ્યોને સદસ્યતા ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. આ બધા વચ્ચે ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ગુઢાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સદસ્યતા બચાવવા માટેનો કાયદાકીય ઉપાય શોધવા બીજા ધારાસભ્યો સાથે દિલ્હી જઈ રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે, ‘અમારૂં તો ન હવે ઘર બચશે, ન ઠેકાણું, હવે અમારી પ્રાથમિકતા સદસ્યતા બચાવવાની છે. દિલ્હીમાં તેઓ રાહુલ ગાંધી સહિત જે પણ કોંગ્રેસી નેતા મળશે તેમની બધાની મુલાકાત લેશે.

સંદીપ કુમાર અને વાજિબ અલીના કહેવા પ્રમાણે તેમને તણખલાનો સહારો જોઈએ છે. માયાવતી, અમિત શાહ કે રાહુલ ગાંધી જે પણ સહારો આપશે, અમે એ બધાને મળીશું.’ દિલ્હી આવેલા ધારાસભ્યોના કહેવા પ્રમાણે તેમને સાથ જોઈએ છે, જે તેમનો સાથ આપશે તેમના સાથે જતા રહેશે. અમિત શાહ હોય કે માયાવતી, સાથ આપશે તો તેમના સાથે જતા રહેશે.