વિરોધ@મહેસાણા: પંચશીલથી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં રોષ, વિસનગરના મંત્રીના ઇશારે બધુ થયાનો આક્ષેપ

દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેને કહ્યું, વિપુલ ચૌધરીની ધરપકડનો કારસો છેલ્લા એક અઠવાડિયાથી રચાતો હતો 
 
Vipul

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કાલે રાત્રે  ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ તરફ હવે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે સવારે મહેસાણા અર્બુદ ભવન ખાતે સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આજે દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરાયું હતું. આ દરમ્યાન ડેરીના પૂર્વ વાઇસ ચેરમેને પાન વિપુલ ચૌધરીની ધરપકડને લઈ વિરોધ દર્શાવ્યો હતો. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે રાત્રે ગાંધીનગરના પંચશીલ ફાર્મ ખાતેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ખાનગી વાહનોમાં ધરપકડ કરી હતી. જે બાદમાં હવે મહેસાણા ખાતે આવેલા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ભેગા થયા હતા. જેમાં  જો વિપુલ ચૌધરીને મુક્ત નહીં કરવામાં આવે તો સેનાના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી મોઘજી ચૌધરીએ આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ વિપુલ ચૌધરી દૂધસાગર ડેરી ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે.

શું કહ્યું દૂધસાગરના પૂર્વ વાઇસ ચેરમેને ? 

આ અંગે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી સાગર દાણનો કેસ જીતી જશે તેવી જાણ સરકારને થતાં ફરી નવો કેસ કરી ધરપકડ કરી છે. વિસનગરના મંત્રી (આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ) અને દૂધસાગર ડેરીના ચેરમેન સહિતના લોકો અઠવાડિયાથી કારશો રચતા હતા એવી અમને ખબર હતી.