રાજકારણઃ કોંગ્રેસને વધુ એક ઝટકો, 500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી આનતીકાલે આપમાં જોડાશે

આપ નેતા ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ યાદવની હાજરીમાં તેઓ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડશે. 500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી આપમાં જોડાશે.
 
aap

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. નેતાઓનો પક્ષ બદલવાનો સીલસીલો યથાવત છે. હવે કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટી છોડવાના છે. કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ યાદવની હાજરીમાં તેઓ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડશે. 500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી આપમાં જોડાશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હાર્દિક પટેલ ઘણા સમયથી સ્ટેટ કોંગ્રેસની લીડરશીપથી નારાજ જોવા મળી રહ્યા છે. જેને લઈને તેમણે ઘણીવાર તેમણે મીડિયા સામે આવીને નારાજગી વ્યક્ત કરી છે. તો હવે વાત સામે આવી રહી છે કે, નારાજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના બે મહાસચિવ હાર્દિકને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે તેવી સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કે સી વેણુગોપાલ હાર્દિકના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  બંને મહાસચિવોએ હાર્દિક સાથે ટેલીફોનીક વાત કરી છે. હાર્દિક પટેલ પક્ષ ન છોડે તે માટેના બંને નેતાઓ પ્રયાસ કરતા હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેને લઈ સસ્પેંશ યથાવત છે. તેવામાં મિશન 2022 માટે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ લઈ શકે છે મહત્વનો નિર્ણય. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્લી પહોંચ્યા છે અને નરેશ પટેલની આજે સોનિયા ગાંધી સાથે બેઠક મળી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી શકે છે અને આ બેઠક બાદ આજે સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગઈકાલથી જ નરેશ પટેલ દિલ્લીના પ્રવાસે છે. નરેશ પટેલની કૉંગ્રેસ હાઈકમાંડ સાથેની બેઠક પર પાટીદાર સમાજના આગેવાનોની નજર છે.