રાજકારણઃ આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું- વિધાર્થી નેતા યુવરાજસિંહ

આરોગ્યના કર્મચારીઓ પણ હડતાળ પર જવાના છે. ભાજપ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા CNGના વધારે છે. ભાજપની એક જ દવા છે, ચૂંટણીમાં હરાવવી. આમ અનેક મામલે ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
 
યુવરાજસિંહ

અટલ સમાચાર, ડેસ્ક


વિધાર્થી નેતા યુવરાજસિંહએ રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને તેમા ચાલતી ધાંધલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે જેટલી પણ ભરતીમાં ગેરરીતી થઇ છે તેમાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકાર સિસ્ટમમાં સડો જાણી જોઇને ઇચ્છી રહી છે. સાશકોની સામે હું સક્રિય રાજકારણમાં આવીશ તેવો હુંકાર યુવરાજસિંહે કર્યો છે. ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થવાનો નિર્ણય યુવરાજસિંહે ક્રયો છે. 15 ઓક્ટોબરની આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન મળશે. આ સંમેલનમાં કેજરીવાલ સહિત વિધાર્થીઓનું હિત જોનાર રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 50 હજારથી એક લાખ યુવાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

ગરબાના પાસ પર જીએસટીને લઈને રાજકારણ ગરમાયું છે. આજે આ અંગે હર્ષ સંઘવી સ્પષ્ટતા કરી હતી. તો બીજી તરફ તેમના નિવેદન બાદ આપ નેતા ઈશુદાન ગઢવીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અને સીઆર પાટિલે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. બે - પાંચ રૂપિયા આયોજકો કમાય તો પણ વાંધો શું છે. આપણી સંસ્કૃતિ દેશ - વિદેશમાં ફેલાય છે. જીએસટી નાખવો હોય તો આઈપીએલ પર નાખો. એક આઈપીએલ ઉપર જીએસટી લગાવો તો 5 વર્ષ ગરબા ઉપર જીએસટી નહિ નાખવો પડે.

CNGના ભાવ વધારા અને GST મુદ્દે આપના રાષ્ટ્રીય નેતા ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર કર્યા હતા. છેલ્લા બે દિવસથી CNGના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગરબા ઉપર સરકારે GST નાખ્યો છે. માની આરાધના કરતા તમામની લાગણી ભાજપે દુભાવી છે. ભાજપે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તલાટીઓ હડતાળ ઉપર છે.  ખેડૂતોને હાલ તલાટીઓની જરૂર પડતી હોય છે. સરકારની નિષ્ફળતાના કારણે તલાટીઓની હડતાળ છે. તાત્કાલિક તલાટીઓની માગણી સરકાર સ્વીકારે. આરોગ્યના કર્મચારીઓ પણ હડતાળ પર જવાના છે. ભાજપ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા CNGના વધારે છે. ભાજપની એક જ દવા છે, ચૂંટણીમાં હરાવવી. આમ અનેક મામલે ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.


તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આવતીકાલે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.

મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે.
હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.