દેશ: અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈનું 86 વર્ષની ઉંમરે નિધન
અટલ સમાચાર ડેસ્ક
તરુણ ગોગોઈ ત્રણ વખત અસમના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તે 6 વખત લોકસભા સાંસદ પણ રહ્યા હતા. તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ વર્તમાનમાં કોંગ્રેસના સાંસદ છે. અસમના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરુણ ગોગાઈનું સોમવારે નિધન થયું છે. અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી હતી. 86 વર્ષના ગોગોઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા. ડોક્ટરે સોમવારે સવારે જાણકારી આપી હતી કે ગોગાઈની હાલત ઘણી નાજુક હતી. ગોગોઈની બગડતી સ્થિતિને જોતા અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પોતાનો ડિબ્રુગઢનો પ્રવાસ રદ કરીને ગુવાહાટી પરત ફર્યા હતા.
Shri Tarun Gogoi Ji was a popular leader and a veteran administrator, who had years of political experience in Assam as well as the Centre. Anguished by his passing away. My thoughts are with his family and supporters in this hour of sadness. Om Shanti. pic.twitter.com/H6F6RGYyT4
— Narendra Modi (@narendramodi) November 23, 2020
ગોગોઈના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે તરુણ ગોગાઈજી લોકપ્રિય નેતા અને વરિષ્ઠ પ્રશાસક હતા, જેમનો અસમની સાથે-સાથે કેન્દ્રમાં પણ વર્ષો સુધી રાજનીતિક અનુભવ હતો. તેમના નિધનથી દુ:ખી છું. આ દુ:ખના સમયમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. ઓમ શાંતિ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે તરુણ ગોગાઈ સાચા કોંગ્રેસી નેતા હતા. તેમણે અસમમાં બધા લોકો અને સમુદાયને એક સાથે લાવવા માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું. મારા માટે તે એક મહાન અને કુશળ શિક્ષક હતા. હું તેમને દિલથી પ્રેમ અને તેમનું સન્માન કરતો હતો. હું તેમને યાદ કરીશ. ગૌરવ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.