તૈયારી@દાંતીવાડાઃ જળાશય યોજનાનું પાણી રવિ સીઝન માટે ખેડૂતોને મળશે

અટલ સમાચાર, પાટણ દાંતીવાડા જળાશય યોજનાના સર્વે ખેડૂતોને માટે તંત્ર દ્રારા હકારાત્મક નિર્ણય લેવાયો છે. રવિ સીઝન માટે દાંતીવાડા જળાશયમાંથી 15000 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને અરજી માટે નિયત નમુના ફોર્મ-7માં જરૂરી વિગત આપવાની થશે. જેના માટે તંત્ર દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને
 
તૈયારી@દાંતીવાડાઃ જળાશય યોજનાનું પાણી રવિ સીઝન માટે ખેડૂતોને મળશે

અટલ સમાચાર, પાટણ

દાંતીવાડા જળાશય યોજનાના સર્વે ખેડૂતોને માટે તંત્ર દ્રારા હકારાત્મક નિર્ણય લેવાયો છે. રવિ સીઝન માટે દાંતીવાડા જળાશયમાંથી 15000 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને અરજી માટે નિયત નમુના ફોર્મ-7માં જરૂરી વિગત આપવાની થશે. જેના માટે તંત્ર દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોને તેમના વિસ્તારના સેક્શન ઓફિસર, કારકુનોને રૂબરૂમાં તા.30/11/19 સુધીમાં અરજી પહોંચાડવી પડશે. અરજી સાથે જમીનના ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતરા સિંચાઇ વેરો પુરેપુરો ભરવાનો રહેશે. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂા.293 તથા 20 ટકા લોકલફંડ રૂા.59 મળી કુલ રૂા.352 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે.

આ સાથે ઢાળીયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે. તે બાબતની કોઇ તકરાર તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહી તેવું કાર્યપાલક ઇજનેર ડીસા, સિંચાઇ વિભાગ ડીસા તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.