સમસ્યા: સિધ્ધપુર વાયા નાંદોત્રા -પેપોળ મોકેશ્વર બસ ચાલુ કરવા માંગ

અટલ સમાચાર,વડગામ સિધ્ધપુર ડેપોની સિધ્ધપુર થી વાયા નાંદોત્રા થઇને મોકેશ્વર સુધીની એસ.ટી.બસ ચાલુ કરવા આ વિસ્તારના લોકોમાં માંગ ઉઠવા પામી છે.વડગામ તાલુકાના પેપોળ, મેગાળ, મેપડા, પાંચડા, શેરપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારમાંથી લોકોને સિધ્ધપુર મહેસાણા અમદાવાદ જવા આવવા માટે વડગામ પાલનપુર સુધી લાંબા થવુ પડે છે. આ વિસ્તારમાંથી વિધાર્થિઓ પણ સિધ્ધપુરમાં આવેલ હંસાબા કોલેજમાં અભ્યાસ અર્થે જતા
 
સમસ્યા: સિધ્ધપુર વાયા નાંદોત્રા -પેપોળ મોકેશ્વર બસ ચાલુ કરવા માંગ

અટલ સમાચાર,વડગામ

સિધ્ધપુર ડેપોની સિધ્ધપુર થી વાયા નાંદોત્રા થઇને મોકેશ્વર સુધીની એસ.ટી.બસ ચાલુ કરવા આ વિસ્તારના લોકોમાં માંગ ઉઠવા પામી છે.વડગામ તાલુકાના પેપોળ, મેગાળ, મેપડા, પાંચડા, શેરપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારમાંથી લોકોને સિધ્ધપુર મહેસાણા અમદાવાદ જવા આવવા માટે વડગામ પાલનપુર સુધી લાંબા થવુ પડે છે.

આ વિસ્તારમાંથી વિધાર્થિઓ પણ સિધ્ધપુરમાં આવેલ હંસાબા કોલેજમાં અભ્યાસ અર્થે જતા હોય છે. વિધાર્થિઓને પણ સવાર સાંજ અવર જવર માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે સિધ્ધપુર એસ.ટી.ડેપો દ્રારા સિધ્ધપુર થી વાયા નાંદોત્રા પેપોળ થઇને મોકેશ્વર સુધીની સવાર સાંજ બસ ચાલુ કરાય તેવી માંગ આ વિસ્તારના લોકો માંથી ઉઠવા પામી છે. ત્યારે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપુત આ બાબતે વિસ્તારના લોકોને એસ.ટી.બસ ચાલુ કરાવવા મદદરૂપ બને તેવી લોકો તેમજ વિધાર્થિઓ માંથી માંગ ઉઠવા પામી છે.