કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણામાં ગઇકાલે સત્કર્મ સેવા ફાઉન્ડેશનના બેનર તળે જરૂરીયાતમંદ બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 40 જેટલી જરૂરીયામંદ મહિલાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મિષ્ઠાબેન અને સામાજીક આગેવાન ભાનુભાઇ દવે ધાબળાના દાતા બન્યા હતા. મહેસાણા શહેરના આંબેડકર બ્રિજ નીચે ગઇકાલે જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ કાર્યક્રમ
 
કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણામાં ગઇકાલે સત્કર્મ સેવા ફાઉન્ડેશનના બેનર તળે જરૂરીયાતમંદ બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 40 જેટલી જરૂરીયામંદ મહિલાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મિષ્ઠાબેન અને સામાજીક આગેવાન ભાનુભાઇ દવે ધાબળાના દાતા બન્યા હતા.

કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ

મહેસાણા શહેરના આંબેડકર બ્રિજ નીચે ગઇકાલે જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શ્રીમાળીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાનુભાઇ દવે (નિવૃત્ત નાયબ સચિવ) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ

આ સાથે અતિથિ વિશેષ તરીકે ભક્તિપ્રસાદ શ્રીમાળી, ચાંદખેડાના મહિલા સમાજ સેવિકા રશ્મિકાબેન શ્રીમાળી, સામાજીક આગેવાન હરેશભાઇ કરલિયા, બીપીનભાઇ શ્રીમાળી (સંડેર,ઉત્તરગુજરાત પ્રભારી GGBS), અમૃતલાલ શ્રીમાળી તેનીવાડા(અધ્યક્ષ, તેજાનંદ સેના-પાટણ), અરવિંદભાઇ ગાંધી,મહેસાણા (અધ્યક્ષ, તેજાનંદ સેના-મહેસાણા), પ્રિયકાન્ત શ્રીમાળી-પત્રકાર, ગુણવંતભાઇ શ્રીમાળી સહિતના આગેવાનો હસ્તે ધાબળા વિતરણ કરાયુ હતુ.

કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ
બીપીનભાઇ શ્રીમાળી (સંડેર,ઉત્તરગુજરાત પ્રભારી GGBS)નું સ્વાગત કરતાં પ્રિયકાન્ત શ્રીમાળી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા અવાર-નવાર મહિલા ઉત્કર્ષ માટે કાર્યો કરે છે. ફાઉન્ડેશનના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન દ્રારા કોરોનાકાળમાં જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળાં વિતરણ કરવાનું નક્કી કર્યુ હતુ. જેમાં સામાજીક આગેવાન ભાનુભાઇ દવેએ પણ સહભાગી થઇ બંને ધાબળાના દાતા બન્યા હતા.

કાર્યક્રમ@મહેસાણા: સત્કર્મ સેવા ફાઉન્ડેશન દ્રારા જરૂરીયાતમંદ મહિલાઓને ધાબળા વિતરણ

કાર્યક્રમમાં ભાનુભાઇ દવેએ મહિલા ઉત્કર્ષ માટે સમાજને આગળ આવવા હાકલ કરી હતી. આ તરફ ધર્મિષ્ઠાબેનના માતા ડાહીબેન વિરમભાઇ શ્રીમાળીના હસ્તે ધાબળા વિતરણ કરાયું હતુ. આ સાથે ધર્મિષ્ઠાબહેને પણ આગામી દિવસોમાં આવા સામાજીક કાર્યક્રમો કરવા અને ધાબળાં વિતરણના કાર્યક્રમને લઇ ઉપસ્થિત મહિલાઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.