વિરોધ@અંબાજીઃ એકતા કપૂરના પૂતળાનું દહન કેમ કરવામાં આવ્યુ ?, જાણો વધુ
અટલ સમાચાર, અંબાજી
બોલિવૂડની ડિરેક્ટર એકતા કપૂરે હાલમાં બનાવેલી વેબ સીરીઝ કે જેની અંદર આર્મીની ઉપર કીચડ ઉડાડવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને હાલમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત દ્વારા અંબાજી સર્કલ પર એકતા કપૂરનું પુતળું બનાવી અને ચંપલ મારી અને મોઢા પર કાળી શાહી ફેંકી અને પૂતળાનું દહન કરી રોષ ઠાલવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
યાત્રાધામ અંબાજી ખાતે બપોરના સુમારે સંદીપ સિંહ રાજપૂત એક્સ આર્મીમેન અને આર્મીમાં જવાની તૈયારી કરતા નવ જવાનો દ્વારા આર્મી વિરુદ્ધ પ્રોડ્યુસ કરાયેલી વેબ સિરીઝ બાબતે એકતા કપૂરને લઇ રોષ ફાટી નીકળ્યો હતો. અને આ રોષને લઈ અંબાજીના સંદીપ સિંહ રાજપૂત અને ટ્રેનિંગ લેતા યુવાઓ દ્વારા એકતા કપૂરનું પુતળું બનાવી એકતા કપૂર હાય હાય ના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો. અને એકતા કપૂરની આ વેબ સીરીઝ સરકાર બંધ કરે અને એકતા કપૂર આર્મી જોડે માફી માંગે તેવી પણ માંગ કરી હતી.