વિરોધ@ભાવનગર: આજે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની મહારેલી યોજાશે, કોણ કોણ જોડાશે? જાણો

 
કોંગ્રેસ
આમજનતાની સાથે પદયાત્રા કરીને કમિશ્નરને આવેદનપત્ર આપવા જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની તંત્રના નિર્ણયના વિરોધમાં આજે કોંગ્રેસ અસરગ્રસ્તોને સાથે રાખીને વિશાળ રેલી કાઢશે અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપશે. આ રેલીનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાશે જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત શહેરના લોકો પણ જોડાશે.

કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. વર્ષોથી જે લોકો ભાવનગરમાં વસવાટ કરે છે તેવા લોકોને સુપ્રીમ કોર્ટના વારંવારના અવલોકનો મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર તોડી પાડવા તે અમાનવીય અને હાડમારી ઉભી કરનારું છે. આવા અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે અને તેમની વ્યથા ઉજાગર થાય તે માટે ભાવનગર કોંગ્રેસ સમિતિ તથા અસરગ્રસ્તોની બનેલી સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે એક વિશાળ રેલી ભાવનગરમાં નીકળશે અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે.

આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, એસ.સી વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા તથા ભાવનગર શહેરના આગેવાનો ઉપસ્થિત રહેશે અને રેલીમાં આમજનતાની સાથે પદયાત્રા કરીને કમિશ્નરને આવેદનપત્ર આપવા જશ.