ગુજરાત: આતંકી હુમલાને પગલે BJPનાં તમામ કાર્યક્રમો રદ

અટલ સમાચાર,અમદાવાદ જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 45 જવાનોની હાલત ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરીને ધોરીમાર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આ આત્મધાતી હુમલા બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં આજના તમામ કાર્યક્રમો રદ કરી
 
ગુજરાત: આતંકી હુમલાને પગલે BJPનાં તમામ કાર્યક્રમો રદ

અટલ સમાચાર,અમદાવાદ

જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 45 જવાનોની હાલત ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરીને ધોરીમાર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આ આત્મધાતી હુમલા બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત ભાજપનાં તમામ કાર્યક્રમ રદ કર્યા છે જેમાં 5 લોકસભા બેઠકના 2 ક્લસ્ટર સંમેલન પણ રદ કરવામાં આવ્યાં છે. જીતુ વાઘાણીએ શહિદ જવાનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.