રાજસ્થાનઃ રણુંજા દર્શન કરી પરત ફરતા ગાડીને અકસ્માત, 5 ગુજરાતીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજસ્થાનના બાડમેર હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ ગુજરાતીઓ લોકોના મોત થયા છે. તથા અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ લોકો રાજસ્થાનના રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. રવિવારે સાંજે બાડમેર-જોધપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં
 
રાજસ્થાનઃ રણુંજા દર્શન કરી પરત ફરતા ગાડીને અકસ્માત, 5 ગુજરાતીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનના બાડમેર હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ ગુજરાતીઓ લોકોના મોત થયા છે. તથા અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ લોકો રાજસ્થાનના રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

રવિવારે સાંજે બાડમેર-જોધપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 8 લોકો ગુજરાતથી રાજસ્થાનના રામદેવપીરના દર્શન કરવા માટે ગયા હતા. રવિવારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાડમેર નજીક કવાસ પુલ પાસે કાર અને ટ્રક અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ ગુજરાતી લોકોના મોત નિપજ્યા છે. જેઓ ગુજરાતના અલગ અલગ સ્થળોના રહેવાસી છે. જેમાં ગોધરા તાલુકાના ચાંચપુરના 2 વ્યક્તિ, કાલોલ તાલુકા સુરેલીના પતિ-પત્ની તથા સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામની એક મહિલા મળી 5 લોકો અકસ્માતમાં મોત થયા છે. તેમજ વડોદરાના ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કાર અને ટ્રક વચ્ચેની ગમખ્વાર ટક્કરથી કાર હવામાં ઉછળીને નીચે પટકાઈ હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. જ્યારબાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.