રાજનીતિ@અમદાવાદ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારના કર્યા શ્રી ગણેશ

 
અમિતસાહ
અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે. તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે લોકોને સંબોધન કરતા 29 વર્ષ જૂની વાત યાદ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો.અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સંબોધન શરૂ કર્યું હતુ. તેમણે સંબોધનમાં જણાવ્યું કે, મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે. ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે. PMએ મને લોકસભામાં ઉભા રેહવાની તક આપી છે.

તેમણે સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. 33 ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. આ સાથે જણાવ્યુ કે, દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. આજે અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક પણ કરી શકે છે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે.

બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે.