કાંકરેજઃ રતનપુરા(શી) ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ઙ કરાયા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) ગામના એક જાગૃત નાગરિક દ્વારા સરપંચને ત્રણ બાળકો છે તેવી અરજી તાલુકા પંચાયતમાં કરતા તાલુકા વિકાસ અધિકારી દ્રારા પંચાયાત ધારા મુજબ રતનપુરા શિહોરી મહીલા સરપંચને હોદા પરથી દુર કરાયા છે. કાંકરેજ તાલુકાના રતનપુર (શીહોરી) ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ત્રણ બાળકો હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ તમામ ડોકયુમેન્ટ તપાસી અને રેકોર્ડ તપાસ
 
કાંકરેજઃ રતનપુરા(શી) ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ઙ કરાયા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

ગામના એક જાગૃત નાગરિક દ્વારા સરપંચને ત્રણ બાળકો છે તેવી અરજી તાલુકા પંચાયતમાં કરતા તાલુકા વિકાસ અધિકારી દ્રારા પંચાયાત ધારા મુજબ રતનપુરા શિહોરી મહીલા સરપંચને હોદા પરથી દુર કરાયા છે.

કાંકરેજ તાલુકાના રતનપુર (શીહોરી) ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ત્રણ બાળકો હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ તમામ ડોકયુમેન્ટ તપાસી અને રેકોર્ડ તપાસ કરતા રતનપુરા (શીહોરી) ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન શ્રવણજી ઠાકોર ને તા.4.8.2006.પછી ત્રણ બાળકો હોવાનું રેકોર્ડ આધારિત સાબિત થતા અનિલભાઈ ત્રિવેદી(તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ) તમામ પંચાયત ધારાની કોલમોનો અભ્યાસ કરી પંચાયત ધારાની કલમ 30(ત) મુજબ રેકર્ડ આધારિત ગેરલાયક ઠેવરતા હોવાનુ સાબિત થયું હતું. તેમજ તા.વી.અને પંચાયપં ધારા 32(2) મુજબ સતાવાર રૂપે સરપંચ તરીકે સસ્પેન્ડ કરેલ છે અને રતનપુર (શીહોરી) ની ગ્રામ પંચાયતની સીટ ખાલી થયેલ છે. ગામમાં જેને લઈને ખડભડાટ મચી ગયો હતો. તો હવે જોવુ રહ્યુ કે ઙે.સરપંચને ચાર્જ આપવામા આવે છે કે વહીવટ દ્રાર મુકાશે કે ફરી ચુટણી યોજાશે તે તો આવવાનો સમાય બતાવ છે.