રાહત@બનાસકાંઠા: 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર,પાલનપુર ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ છે. કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ મળી રહી છે. પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 14 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી રજા આપવામાં આવી છે. અટલ
 
રાહત@બનાસકાંઠા: 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર,પાલનપુર

ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ છે. કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ મળી રહી છે. પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 14 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાહત@બનાસકાંઠા: 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ

બનાસકાંઠા જિલ્લામાં કુલ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરના ગઠામણ ગામમાં 21, ભાગળમાં 2, મજાદરમાં 1, વાવમાં 6 અને થરાદમાં એક કેસ નોંધાયો છે. આ તમામ દર્દીઓને પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અગાઉ પાલનપુર કોવિડ-19 હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી. જેમાં એક 4 વર્ષીય બાળકી અને બીજો 14 વર્ષનો છોકરો હોવાથી હોસ્પિટલના ડૉકટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ગિફ્ટ અને ચોકલેટ આપી તાળીઓના ગડગડાટ સાથે માનભેર વિદાય આપવામાં આવી હતી.