રાહત@ગુજરાતઃ ગત 24 કલાકમાં 380 કેસ, 2ના મોત, કુલ મૃત્યુંઆંક 4381
અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4381 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં
Jan 27, 2021, 09:57 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4381 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 89, સુરતમાં 81, વડોદરામાં 85, રાજકોટમાં 48, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 7, આણંદમાં 6, ભરૂચ, ખેડા અને કચ્છમાં 5-5 સહિત કુલ 380 કેસ નોંધાયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં અત્યારે કુલ 4086 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 45 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4041 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,51,400 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.