ધાર્મિક@અમદાવાદ: રથયાત્રા બાદ મંદિરની બહાર આખી રાત રહેલાં ભગવાને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે પહેલી વાર એવું બન્યુ કે, નગરના નાથ 14 કલાકની નગરચર્યાનું 22 કિ.મી.નું અંતર 4 કલાકમાં પૂરૂ કરી નિજમંદિરે પરત ફર્યા હતા. કરફ્યૂગ્રસ્ત માહોલમાં ભક્તો વગર અમદાવાદમાં ગઈકાલે રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે આજે ઐતિહાસિક જગન્નાથજીની 144મી રથયાત્રાની છેલ્લી વિધિ થઈ છે. આખી રાત મંદિરની બહાર રખાયેલા ભગવાનને
 
ધાર્મિક@અમદાવાદ: રથયાત્રા બાદ મંદિરની બહાર આખી રાત રહેલાં ભગવાને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે પહેલી વાર એવું બન્યુ કે, નગરના નાથ 14 કલાકની નગરચર્યાનું 22 કિ.મી.નું અંતર 4 કલાકમાં પૂરૂ કરી નિજમંદિરે પરત ફર્યા હતા. કરફ્યૂગ્રસ્ત માહોલમાં ભક્તો વગર અમદાવાદમાં ગઈકાલે રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે આજે ઐતિહાસિક જગન્નાથજીની 144મી રથયાત્રાની છેલ્લી વિધિ થઈ છે. આખી રાત મંદિરની બહાર રખાયેલા ભગવાનને નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી હતી. તેના બાદ ભગવાનની નજર ઉતારી તેમને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં જ ભગવાનની આરતી કરાઈ હતી. જળયાત્રાથી રથયાત્રાની શરૂઆત થાય છે. તેમજ વિધિવત રીતે ત્રીજના દિવસે રથયાત્રાનું સંપન્ન થઈ કહેવાય છે. ભગવાનને મંદિરમાં લીધા બાદ તેમની મહાઆરતી કરાઈ હતી. નગરચર્યા બાદ ભગવાનને રથમાં જ મંદિરની બહાર આખી રાત રાખવામાં આવે છે. આ પાછળ એક પૌરાણિક કથા છે. ભગવાન પોતાના બાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ જતા હોય છે. આવામાં તેમના વ્હાલા પત્ની રુકમણીજી રિસાય છે. નગરમાં ફરવા નીકળ્યા ત્યારે રૂકમણીજીને લઈને ન ગયા અને રૂકમણી રિસાયા હતા. ભગવાન જગન્નાથજી રથયાત્રાએ પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ દ્વાર ન ખોલ્યા, અને ભગવાનને બહાર સુઈ રહેવું પડ્યું હતું. આ લોકવાયકાને પગલે આજે પણ ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નગરચર્યા કરીને રાત્રે પરત ફરે ત્યાર પછી રથમાં જ શયન કરવું પડશે.