ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમના મહામેળામાં 5 દિવસમાં 30 લાખ માઈભક્તો દર્શન કરી ધન્ય બન્યા

 
અંબાજી
માતાજીના ભક્તો દ્વારા 18.137 ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં મેળાના પાંચમાં દિવસે 7.57 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા જગદંબાના મંદિરે પહોંચી માનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. પાંચ દિવસમાં કુલ 30 લાખથી વધુ માઈભક્તોએ માતાજીનાં દર્શન કરીને ધન્ય બન્યા છે.કેટલાક ભક્તોએ ગબ્બર ઉપર જઈને માની જ્યોતનાં દર્શન કરી પોતાની ટેક પૂરી કરી હતી. ભક્તોનાના આ ઘોડાપુરથી સમગ્ર અંબાજી ભક્તિમય વાતાવરણમાં રંગાયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે.

શ્રદ્ધાળુઓના ઘોડાપુરને લઇને તંત્ર દ્વારા મેળાની વ્યવસ્થા સુચાર રૂપ ચાલતી રહે તેમજ ક્યાંય અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે થઈને સતત ક્ધટ્રોલ રૂમથી સૂચનાઓ અને માહિતી આપી રહ્યાં છે. અંબાજી તરફના માર્ગમાં હજુ પણ પગપાળા યાત્રિકો જોવા મળી રહ્યાં છે. જેને લઇને સેવા કેમ્પો દ્વારા તેમની સેવા અર્થે રાત-દિવસ ખડે પડે સેવા આપી રહ્યા છે. મહામેળાના પાંચમાં દિવસે 7.57 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં હતાં. જ્યારે 546 ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રૂ.42,62,436ની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ભંડાર, ગાદી, 5000 ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક થઇ હતી. જ્યારે માતાજીના ભક્તો દ્વારા 18.137 ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. પાંચ દિવસમાં કુલ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા જગદંબેના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યા છે.