ધાર્મિક@ગુજરાત: આજથી 15 દિવસ શ્રાદ્ધ શરૂ, હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજથીથી પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક સામાન્ય માહિતી અને ધારણાઓ આધારીત શ્રાદ્ધ દરમ્યાન તમે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં, નહીં તો પિતૃ નારાજ થઈ જશે. હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું મનાઈ છે. 15 દિવસના આ સમયમાં
 
ધાર્મિક@ગુજરાત: આજથી 15 દિવસ શ્રાદ્ધ શરૂ, હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથીથી પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક સામાન્ય માહિતી અને ધારણાઓ આધારીત શ્રાદ્ધ દરમ્યાન તમે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં, નહીં તો પિતૃ નારાજ થઈ જશે. હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું મનાઈ છે. 15 દિવસના આ સમયમાં લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજથી શરૂ થતાં શ્રાદ્ધના 15 દિવસમાં પૂર્વજોને આશીર્વાદ મળે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો બીજી તરફ પૂર્વજોની નારાજગી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. ધર્મ પુરાણોમાં પિતૃ પક્ષને લઈને અમુક નિયમો બતાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે.

શ્રાદ્ધમાં ન કરો આ કામ

  • ભૂલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ ન કરો. આવું કરવું અશુભ મનાઈ છે.
  • એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધના 15 દિવસ દરમ્યાન પૂર્વજો તેમના પરિવાર સાથે રહેવા માટે પૃથ્વી પર આવે છે, તેથી વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેનાથી પૂર્વજો ખુશ થાય.
  • આ દરમ્યાન ખરાબ ટેવો, નશો, તામસિક ખોરાકથી દૂર રહો. શ્રાદ્ધમાં દારૂ, નોનવેજ, લસણ-ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. ખાખરા, કાકડી, સરસવની શાકભાજી અને જીરું ખાવા જોઈએ નહીં.
  • આ દરમ્યાન તમારા પૂર્વજો પ્રત્યે આદર દર્શાવતું સરળ જીવન જીવો. કોઈ પણ શુભ કાર્ય ન કરો.
  • જે વ્યક્તિ પિંડ દાન, તર્પણ વગેરે કરી રહ્યો છે તેણે વાળ અને નખ કાપવા જોઈએ નહીં. વળી, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • આ સમય દરમ્યાન ઘરે આવતા પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપો. એવું માનવામાં આવે છે કે, પૂર્વજો પ્રાણીઓ અને પક્ષીઓના રૂપમાં તેમના પરિવારોની મુલાકાત લેવા આવે છે.
  • પિતૃ પક્ષ દરમ્યાન કોઈપણ પ્રાણી અને પક્ષીને હેરાન ન કરો. આમ કરવું મુશ્કેલીને આમંત્રણ આપવાનું છે.
  • આ દરમ્યાન બ્રાહ્મણોને પાનમાં ખવડાવો અને પાનમાં જ ખાઓ.