ધાર્મિકઃ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરો

અટલ સમાચાર, ડેસ્ક દરેક વ્યક્તિ પોતાના જીવન માં ધન કમાવવાની ઈચ્છા રાખે છે. પરંતુ બધા લોકો કામયાબ નથી બની શકતા. જો તમે પણ પૈસા ની સમસ્યા ને દુર કરવા માંગો છો અને ધનવાન બનવા માંગો છો તો તમારે વધારે કઈ કરવાની જરૂર નથી. તમે એક રૂપિયા ના સિક્કા થી પણ ધનવાન બની શકો છો. જ્યોતિષશાસ્ત્રના
 
ધાર્મિકઃ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરો

અટલ સમાચાર, ડેસ્ક

દરેક વ્યક્તિ પોતાના જીવન માં ધન કમાવવાની ઈચ્છા રાખે છે. પરંતુ બધા લોકો કામયાબ નથી બની શકતા. જો તમે પણ પૈસા ની સમસ્યા ને દુર કરવા માંગો છો અને ધનવાન બનવા માંગો છો તો તમારે વધારે કઈ કરવાની જરૂર નથી. તમે એક રૂપિયા ના સિક્કા થી પણ ધનવાન બની શકો છો.

જ્યોતિષશાસ્ત્રના આધારે તમને એ જાણીને નવાઈ લાગશે કે આ એક રૂપિયાનો સિક્કો તમારી દરેક સમસ્યાઓ ઉકેલી શકે છે. આવો તોં જાણીએ કે સામાન્ય એવા સિક્કામાં કેટલી તાકાત છુપાયેલી હોય છે. અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. દુનિયા ભરમા આ ઘણા એવા ટોટકા છે કે જે તમને આ રાતોરાત તે અમીર બનાવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો, તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કા નો ઉપાય કરી શકો છો. જીવન હંમેશા એકસમાન નથી ચાલતું. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ જ છે. જો તમારો સમય ઠીક નથી ચાલી રહ્યો તો એક સિક્કો લઈને નદી, તળાવ પર જઈને તમારી ઈચ્છા બોલીને તેને પાણીમાં નાખી દો. તમારી સમસ્યાનું નિવારણ જલ્દી જ થઇ જશે.

જો તમે લાંબા સમયથી કોઈ બીમારીની ઝપેટમાં છો તો એક રૂપિયાનો સિક્કો લઈને સ્મશાન ભૂમિ પર રોગીના માથા પર સાત વાર ફરવીને તેને સ્મશાનની જમીનમાં દાંટી દો. જલ્દી જ તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવી જશે. રાતે સૂતી વખતે તકિયા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવાથી રોગથી મુક્તિ મળે છે.

જો કોઈ વ્યક્તિને બીપી, ડાયાબીટીસ કે પછી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા છે તો રાતે તાંબાના લોટામાં એક રૂપિયાનો સિક્કો રાખી પાણીથી ભરી દો, સવારે ઉઠીને આ પાણી પીવાથી અનેક લાભ થાય છે. ભલે તમારા પર્સમાં ગમે તેટલા રૂપિયા હોય પણ એક રૂપિયાનો સિક્કો ચોક્કસ રાખવો જોઈએ. આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ વધી શકે છે.

જો તમારા પર શનિદોષ કે સાઢેસાતી છે તમે એક રૂપિયાનો સિક્કો અને એક મુઠ્ઠી અડદની દાળ તમારા ઉપરથી સાત વાર ફેરવો અને પછી તેને કાળા કપડામાં બાંધીને સાંજના સમયે કોઈ શનિ મંદિર કે પીપળાના ઝાડ નીચે મૂકી દો. આવું તમારે 21 શનિવાર સુધી કરવાનું રહેશે, જેનાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે.