ધાર્મિક@નડાબેટ: ગુરૂપુર્ણિમાએ નડેશ્વરી મંદીરે હજારો ભકતો ઉમટી પડયા
અટલ સમાચાર, થરાદ (રમેશભાઇ રાજપુત) બનાસકાંઠા જીલ્લાનુ સહરદી પવિત્ર યાત્રાધામ નડાબેટ ખાતે આજે ગુરૂપુર્ણિમા હોવાથી વહેલી સવારથી જ માં નડેશ્વરીના દર્શન ભાવિકભકતોની ભીડ ઉમટી પડતા વાતાવરણ ભકિતમય બની ગયુ હતુ. લોકોએ વહેલી સવારથી જ દર્શન માટે ભાવિકભકતોએ લાંબી લાઇનો લગાવી દીધી હતી. મંદીર પરિવાર ઘ્વારા પણ દર્શનાર્થીઓને અગવડ ના પડે તેની તકેદારી પણ રાખવામાં આવી
Jul 16, 2019, 13:16 IST
અટલ સમાચાર, થરાદ (રમેશભાઇ રાજપુત)
બનાસકાંઠા જીલ્લાનુ સહરદી પવિત્ર યાત્રાધામ નડાબેટ ખાતે આજે ગુરૂપુર્ણિમા હોવાથી વહેલી સવારથી જ માં નડેશ્વરીના દર્શન ભાવિકભકતોની ભીડ ઉમટી પડતા વાતાવરણ ભકિતમય બની ગયુ હતુ. લોકોએ વહેલી સવારથી જ દર્શન માટે ભાવિકભકતોએ લાંબી લાઇનો લગાવી દીધી હતી. મંદીર પરિવાર ઘ્વારા પણ દર્શનાર્થીઓને અગવડ ના પડે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
ગુરૂપુર્ણિમા નિમિત્તે જીલ્લાના વિવિધ મંદીરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા ના નડાબેટ ખાતે માં નડેશ્વરી ના ધામમાં વહેલી સવારથી જ લોકોની લાંબી ભીડ જોવા મળી હતી. હજારોની સંખ્યામાં ભાવિક ભકતોએ બોલ મારી નડેશ્વરી મા, જય જય નડેશ્વરી મા નારો બોલાવતા વાતાવરણ ભકતિમય બની ગયુ હતુ. નડાબેટ મંદિરમાં ભક્તોનુ પુર લગભગ દસ હજાર માણસો દર્શન કર્યા તથા ભોજન પ્રસાદનો લાભ લિધો હતો.