ધાર્મિકઃ આજથી અધિક માસ શરૂ, જાણો ક્યા દિવસે શું ખરીદવું

અટલ સમાચાર, ડેસ્ક આજથી અધિક માસનો પ્રારંભ થયો છે અને શ્રાદ્ધ પક્ષ પૂરો થયો છે. ત્યારે આવો જાણીએ અધિક માસમાં ભક્તિની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ ખરીદવા માટે શુભ યોગ અને મુહૂર્ત છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. જ્યારે મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ-
 
ધાર્મિકઃ આજથી અધિક માસ શરૂ, જાણો ક્યા દિવસે શું ખરીદવું

અટલ સમાચાર, ડેસ્ક

આજથી અધિક માસનો પ્રારંભ થયો છે અને શ્રાદ્ધ પક્ષ પૂરો થયો છે. ત્યારે આવો જાણીએ અધિક માસમાં ભક્તિની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ ખરીદવા માટે શુભ યોગ અને મુહૂર્ત છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. જ્યારે મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ- દસ્તાવેજી કાર્યવાહી કરી શકાશે. મિલકતની ખરીદી માટે અધિક માસમાં ૨૫થી વધુ શુભ દિવસ છે.

જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પ્રમાણે, અધિક માસમાં વિવાહ, દેવસ્થાપન, યજ્ઞોપવિત, સકામ યજ્ઞા જેવા શુભ કાર્યો કરવા માટે શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. આધુનિક સુખ- સુવિધાની ચીજવસ્તુની ખરીદી માટે નિષેધ શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય અધિક માસમાં લગ્ન નક્કી કરવું, સગાઈ નક્કી કરવી, જમીન, મકાન- મિલકતની ખરીદી પણ નક્કી કરી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સર્વાર્થ સિદ્ધ યોગ- આ યોગ તમામ મનોકામના પૂર્ણ કરનારો યોગ છે. આ યોગમાં કરેલા કામમાં સળફતા મળે છે. તા. ૯, ૨૬ સપ્ટેમ્બર, ૧, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧૭ ઓક્ટોબરે આ યોગ રહેશે.

દ્વિપુષ્કર યોગ- એવી માન્યતા છે કે, આ યોગમાં કરેલા તમામ કામોનું બમણું ફળ મળે છે. તા.૧૯ અને ૨૭ સપ્ટેમ્બરે આ યોગ છે.

અમૃતસિદ્ધ યોગ – અમૃત સિદ્ધ યોગ કરેલ કાર્યોનું ફળ દીર્ઘકાલીન હોય છે.
પુષ્ય નક્ષત્ર – અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર આવે છે. ૧૦ ઓક્ટોબરે રવિ પુષ્ય અને ૧૧ ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર છે. આ બંન્ને દિવસે કોઈપણ શુભ કાર્યો કરી શકાશે.

ધાર્મિકઃ આજથી અધિક માસ શરૂ, જાણો ક્યા દિવસે શું ખરીદવું
જાહેરાત

ખરીદી માટે કયા કયા દિવસો છે શુભ?

ધ્રુવ સ્થિર મુહૂર્ત– તા.૧૮, ૨૬ સપ્ટેમ્બર, તા. ૭,૧૫ ઓક્ટોબર અને તમામ રવિવાર શિક્ષણ સંબંધિત ખરીદી, રોકાણ અંગેના કામકાજ, જ્વેલરી બનાવવા, શપથ ગ્રહણ અને હોદ્દો સંભાળવા માટે શુભ છે.
ચર- ચલ મુહૂર્ત– તા. ૨૦,૨૭, ૨૮, ૨૯ અને તા. ૩૦ સપ્ટેમ્બર, તા. ૧૦ ઓક્ટોબર અને તમામ સોમવાર મોટરકાર, બાઈક, સહિત વાહનની ખરીદી કે બુકિંગ માટે શુભ રહેશે.
ઉગ્ર, ક્રુર મુહૂર્ત – તા. ૨૫, ૩૦ સપ્ટેમ્બર, તા. ૫, ૧૩, ૧૪, ઓક્ટોબર અને તમામ મંગળવાર શસ્ત્રની ખરીદી અને બુકિંગ કરી શકાશે.
મિશ્ર, સાધારણ મુહૂર્ત – ૨૧ સપ્ટેમ્બર, ૬ ઓક્ટોબર અને તમામ બુધવારે માંગલિક કાર્યો માટે શુભ છે.