ધાર્મિક@અંબાજી: શ્રધ્ધા અને ભક્તિ સાથે દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઇ
અટલ સમાચાર,અંબાજી (રિતીક સરગરા)
યાત્રાધામ અંબાજી ખાતે દુર્ગાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દુર્ગાષ્ટમીના દિવસે વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી.
નવરાત્રીમાં આઠમના દિવસે માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી મોટી આઠમ માનતી જોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠના દર્શને વિશેષ માત્રામાં જતા હોય છે. શ્રધ્ધાળુઓ નત્ મસ્તક થઈ માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે.
અંબાજીમાં દુર્ગાષ્ટમીની ભવ્ય ઉજવણી વેળાએ દાંતા સ્ટેટ વખતના રાજવી પરીવાર અને મહારાણા મહીપેન્દ્રસિહજી પણ તબીયત નાદુરસ્ત હોવા છતા અંબાજી મંદિરે દર્શન માટે પહોંચી માતાજીના આશિવાર્દ મેળવ્યા હતા. ભટ્ટજી મહારાજ પણ આજની પૂજા દરમિયાન વિશ્વ કલ્યાણ માટે આશીર્વાદ મેળવતા હોય છે.