ધાર્મિક@બેચરાજી: ઉમિયાજી કળશ યાત્રાનું પાટીદાર સમાજ દ્રારા ભવ્ય સ્વાગત
અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર)
અમદાવાદમાં વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માતાજીનું મંદીર બનવા જઇ રહ્યુ છે. જેને લઇ ઉત્તર ગુજરાત સહિતના ગામડાઓમાં કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. બેચરાજીના સાંપાવાડામાં પણ ગઇ કાલે રવિવારે ઉમિયાજી કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સહિતના લોકોએ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામે ઉમિયાજી કળશયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ સામે અને જાસપુર રોડ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આકાર પામનારા વિશ્વનાં સૌથી ઉંચા ઉમિયા માતાજીના મંદિરનો 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે.આ મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવશે. સાંપાવાડા ગામે કળશપૂજન બાદ કળશયાત્રાના સભ્યો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.