અપડેટ@અમદાવાદ: વડાપ્રધાન પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાનુ શરૂ કરવામા આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાની જાણકારી મળી રહી છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર. આ સાથે તેઓ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરમાં નિવાસસ્થાને રવાના થયા હતા.
આ વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જ બીજેડી મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ 242 લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતા લગભગ 265 લોકોના મોત નીપજ્યાં છે. આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઈએ આપી હતી.