રીપોર્ટ@દેશ: સુકમામાં 25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા 16 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત સરકાર તરફથી દેશભરમાં નક્સલ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગણા અને ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.જેમાં પોલીસને સફળતા પણ મળી છે. લાખો અને કરોડો રૂપિયાના ઇનામી એવા નકસલીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેનો પ્રભાવ એ જોવા મળ્યો કે હવે છત્તીસગઢમાંથી કુલ 16 નક્સલીઓને આત્મસર્મપણ કરી દીધુ છે. સુકમાના 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા છે.
સોમવારે પીએલજીએ બટાલિયનના 2 હાર્ડકોર નક્સલી સહિત 16 નક્સલીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે. જેમાં એક મહિલા અને પુરુષ પર તો 8-8 લાખનું ઇનામ જાહેર હતું. એટલુ જ નહી સરેન્ડર કરનારા 6 નક્સલીઓ પર 25 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સરેન્ડર કરનારા તમામ નક્સલીઓ વિવિધ ઘટનાઓમાં સામેલ રહી ચૂક્યા છે.મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરમખાડ અને દૌના વચ્ચેના જંગલમાં રવિવારે મોડી રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જે સોમવાર સવાર સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન પોલીસે એક નક્સલીને ઠાર માર્યો, જે સીપીઆઈ નક્સલી કમાન્ડર મનીષ યાદવ હતો. આ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.