રીપોર્ટ@દેશ: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPLની તમામ મેચો રદ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એક બેઠક યોજાઈ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આઈપીએલની તમામ મેચો રદ કરવામાં આવી છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPLની તમામ મેચો રદ કરી છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે, 8 મે (બુધવાર)ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. ઉપરાંત ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લાવવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી છે.
બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પ્રાથમિકતાના ધોરણે લાવવા માટે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું. 'બધું ધ્યાનમાં રાખીને અમે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પરિસ્થિતિ સારી નથી, તેથી જ અમે 8 મેની મેચ રદ કરી છે. પડોશી દેશ પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ, દર્શકો અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે રાષ્ટ્રના હિતમાં જે કંઈ હશે તે કરીશું. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે મુજબ નિર્ણય લઈશું. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ જમ્મુ અને પંજાબમાં અનેક સ્થળોએ પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતે પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું.