રીપોર્ટ@દેશ: કોરોના પોઝિટીવ સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરી શું કહ્યુ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાવાયરસથી સંક્રમિત ક્રિકેટર સચિન તેંડુલકર આજે સવારે હોસ્પિટલમાં દાખલ થયો છે. તેણે જાતે જ આ માહિતી ટ્વીટ કરીને આપી છે. નોંઘનીય છે કે સચિન 27 માર્ચના રોજ કોરોના સંકમિત થયો હતો. સચિને તેના ટવીટમાં આગળ કહ્યું છે કે, વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વષઁગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારી સાથીઓને શુભેચ્છા.ઉલ્લેખનીય છે કે 2 એપિલ 2011એ ભારતે બીજી વખત વિશ્વકપ પર કબજો કયોઁ હતો. 1983 પછી આ બીજી તક હતી. જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સચિન તેડુંલકર 27 માર્ચ કોરોનાવાયરસથી સંકમિત થયો હતો. તેણે ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. કોરોના પોઞિટિવ આવ્યા પછી સચિન તેંડુલકરે કહ્યું છે ,કે તેઓ પોતે હોમ ક્વોરન્ટીન થયો છે. આ સિવાય તે જરૂરી મહામારી સાથે સંબઘિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડોક્ટરની સલાહનો અમલ કરી રહ્યો છે. સચિન કોરોના પોઝિટીવ આવ્યા પછી તેના સમગ પરિવારના અન્ય સભ્યોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone.
Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup win.
— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2021
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સચિન રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી-20માં રમ્યા પછી સંક્રમિત થયા હતા. આ સિવાય આ ટુર્નામેન્ટમાં રમનાર ભારતના 3 અને પુર્વ કિકેટર કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમાં યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, અને એસ.બદ્રીનાથ સામેલ છે. સચિને 7 થી 21 માર્ચની વચ્ચે રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લીઘો હતો. તેમની કેપ્ટનશીપમાં ઇન્ડિયા લેજન્ડસ ચેમ્પિયન પણ બની હતી. મેચ પહેલા દરેક ખેલાડીઓના કોરોનાનો ટેસ્ટ કરવામા આવતો હતો. સચિને તેનો વીડિયો પણ સોશિયલ મીડીયા પર શેર કયોઁ હતો.