રીપોર્ટ@દેશ: જમ્મુ-કશ્મીરમાં LGનું મોટુ એક્શન, આતંકવાદને સમર્થન આપતા 3 કર્મચારીઓ સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે એક મોટી કાર્યવાહી કરી છે. તેમણેમ 3 સરકારી કર્મચારીઓને સસપેન્ડ કરી દીધા છે. પાકિસ્તાનના આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હુબ્જ-ઉલ-મુજાહિદીનની સાથે કનેક્શન પર આ કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ-કશ્મીરમાં લશ્કર અને હિજ્બુલ જૈશ સાથે સબંધના આરોપમાં 3 સરકારી કર્મચારીઓને સસપેન્ડ કરી દેવાયા છે.સસપેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે. તો બીજો સ્કૂલ ટીચર અને ત્રીજો સરકારી ડોક્ટર છે. ત્રણેય કર્મચારીઓ પર આતંકી સંગઠન લશ્ક-એ-તૈયબા અને હિબ્જ-ઉલ-મુજાહિદીન માટે કામ કરવાના આરોપો છે.
ઓગસ્ટ 2020માં પદ સંભાળ્યા બાદથી એલજી મનોજ સિન્હાઓએ આતંકીઓ, તેમના નેટવર્ક અને સરકારી સંસ્થાઓમાં સમાવિષ્ટ સમર્થકો વિરુદ્ધ મોટુ એક્શન લીધુ છે. જેમાં સુરક્ષાબળોએ 2020 અને 2024 વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં સેંકડો આતંકવાદીઓને પકડી પાડ્યા છે અને આ આતંકીઓના સમર્થકોને પણ સસપેન્ડ કર્યા છે. ઉપરાજ્યપાલે આતંકવાદ અને તેમના સહાયકોને જડમૂળથી દુર કરવાનો અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો છે. સસપેન્ડ કરવામાં આવેલા ત્રણ કર્મચારીઓ ઈશ્ફાક નસીર, એજાજ અહમદ અને વસીમ અહમદ ખાન શામેલ છે.