રિપોર્ટ@દિલ્લી: અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતે

 
સુનિતા
અરવિંદ કેજરીવાલને રાજકીય ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ધરપકડના મુદ્દે મોટો દાવો કર્યો છે. સીબીઆઈએ સીએમ કેજરીવાલની શા માટે ધરપકડ કરી તે અંગે તેમણે વિડિયો સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું કે શું તમે જાણો છો કે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કેમ કરી? તેમની ધરપકડ એનડીએના એક સાંસદના નિવેદન પર કરવામાં આવી હતી. તેમનું નામ મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી એટલે કે એમએસઆર છે.

તેમણે વધુમાં કહ્યું કે એનડીએ સાંસદ મંગુતા રેડ્ડીએ EDને આપેલા પહેલા બે નિવેદનો EDને ગમ્યા ન હતા. આ પછી EDએ તેના પુત્રની ધરપકડ કરી અને તેને પાંચ મહિના સુધી જેલમાં ટોર્ચર કર્યો. પોતાના પુત્ર અને પરિવારની હાલત જોઈને મંગુથા રેડ્ડીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું અને કહ્યું કે ED તેમના નિવેદનમાં શું ઈચ્છે છે અને બદલામાં મંગુથા રેડ્ડીના પુત્રને જામીન આપવામાં આવ્યા છે.

સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે મંગુતા રેડ્ડીએ ED સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. તેણે પોતે કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલને પહેલી અને છેલ્લી વખત 16 માર્ચ, 2021ના રોજ મળ્યા હતા. શું કોઈ પહેલીવાર લોકોની સામે પૈસા માંગશે? મંગુથા રેડ્ડીના પુત્ર અને પરિવારને 5 મહિના સુધી ટોર્ચર કરવામાં આવ્યો અને ત્યારબાદ MSRએ EDને ખોટું નિવેદન આપ્યું. કોર્ટે કેજરીવાલ જીને જામીન આપતા કહ્યું કે મંગુતા રેડ્ડીને બેલની લોલીપોપ આપવામાં આવી હતી.સુનીતા કેજરીવાલે વધુમાં કહ્યું કે દિલ્હીના પુત્ર અરવિંદ કેજરીવાલને રાજકીય ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે.