રિપોર્ટ@દિલ્હી: કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો, તબીબી આધાર પર વચગાળાના જામીન આપવા ઇન્કાર

 
કેજરીવાલ

ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હી લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે અને કહ્યું કે જેલ પ્રશાસને કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આ રીતે કોઈને જામીન નહીં મળે. રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવી દીધી છે.

કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ વિવેક જૈને કહ્યું કે મુખ્યમંત્રીના વજનમાં કેટલાક ફેરફાર થયા છે. કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી વતી યોગ્ય પિટિશન દાખલ કરવી જોઈએ અને તે સમજાવે કે તેઓ શા માટે રાહત ઈચ્છે છે. ઈડી તરફથી હાજર રહેલા SG તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તે સુનાવણીને લાયક નથી.

દિલ્હીની કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. ત્યારે એક તરફ કોર્ટે તેમને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. અને બીજી તરફ ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારવાનો આદેશ આપ્યો છે.