રિપોર્ટ@દેશ: કેજરીવાલની ધરપકડ સામે AAP પાર્ટી કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

 
કેજરીવાલ

22 રાજ્યોમાં બીજેપી હેડક્વાર્ટર પર વિરોધ કરીને પોતાનો અવાજ ઉઠાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ દેખાવો બીજેપી હેડક્વાર્ટર પાસે કરશે. AAP પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવવા માટે જઈ રહ્યા હતા. ત્યારબાદ કેન્દ્રએ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાવી હતી.

AAPના કાર્યકર્તાઓ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત 22 રાજ્યોમાં બીજેપી હેડક્વાર્ટર પર વિરોધ કરીને પોતાનો અવાજ ઉઠાવશે. આપના કાર્યકર્તાએ કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે અને અરવિંદ કેજરીવાલને ચૂંટણીથી દૂર રાખવા માંગે છે. એટલા માટે તેઓ ખોટા કેસ દાખલ કરીને કેજરીવાલને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. BJP પોતાના રાજકીય હેતુઓ માટે તમામ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહી છે. સીબીઆઈએ છેલ્લા બે વર્ષ સુધી સીએમ કેજરીવાલને કહેવાતા દારૂ કેસમાં આરોપી બનાવ્યા ન હતા. જ્યારે ભાજપને લાગ્યું કે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવવા જઈ રહ્યા છે, ત્યારે તેઓએ સીબીઆઈને આગળ કરી.