રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલને SC તરફથી લાગ્યો મોટો ઝટકો, જાણો સમગ્ર મામલો

ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં સુપ્રીમ કોર્ટનો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી AAPના રાષ્ટ્રીય કન્વીનરની અરજી ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલ સામે સમન્સ જારી કર્યું હતું.પૂર્વ મુખ્યમંત્રીએ તેને રદ કરાવવા માટે પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ન્યાયમૂર્તિ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહ્યું હતું કે આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી અને તેને આ કોર્ટે ફગાવી દીધી હતી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું હતું કે, 'અમે દખલ કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યો હતો અને તેની અરજી ફગાવી દેવામાં આવ્યો હતો.' કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સંજય સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અલગ હતું, પરંતુ બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું.
હવે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડશે આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રીએ દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે અહીંથી પણ રાહત નહીં મળતા તેમણે ગુજરાત કોર્ટમાં હાજર થવું પડશે. જાણો શું છે મામલો કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને નેતાઓએ પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બંને વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અરજી મેન્ટેનેબલ નથી કારણ કે તેઓએ યુનિવર્સિટી અંગે કોઈ નિવેદન આપ્યું નથી.