રિપોર્ટ@દેશ: મમતા બેનર્જીએ ભાજપના બંગાળ બંધ પર જોરદાર નિશાન સાધ્યું, જાણો વિગતે
![બંગાળ](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/c0c742c11d7dfae84ae1aee0aa596c72.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપને ઘમંડી, ભ્રષ્ટ પાર્ટી ગણાવી છે. સીએમએ કહ્યું કે યુપી, રાજસ્થાન જેવા ભાજપ શાસિત રાજ્યોમાં કેન્દ્રીય એજન્સીઓ મોકલવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે પીડિત પરિવારની તમામ માંગણીઓ પૂરી કરવામાં આવશે. પીડિતાને ન્યાય મળવો જોઈએ.આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ. હું ડોક્ટરો સામે પગલાં લેવા માંગતી નથી. બધા ડોકટરોએ કામ પર પાછા ફરવું જોઈએ. હું ડોક્ટરોની તરફેણમાં નિર્ણય લેવા માંગુ છું. ડોકટરોનું ભવિષ્ય બગાડવા માંગતી નથી.
તેમણે કહ્યું કે બળાત્કાર રોકવા માટે ફાંસીની સજા જરૂરી છે. TMCની મહિલાઓ શનિવારે ફાંસીની માંગ કરશે. જો કેસ અમારા હાથમાં હોત તો અમે સાત દિવસમાં આરોપીને ફાંસી આપી દીધી હોત. આ મામલો 16 દિવસથી સીબીઆઈ પાસે છે પરંતુ એજન્સીએ કોઈ કાર્યવાહી કરી નથી. હું બંગાળ બદલીશ. બંગાળમાં બહારના લોકો આવીને હિંસા ફેલાવી રહ્યા છે.