રીપોર્ટ@દેશ: મોદીએ "મન કી બાત" સંબોધનમાં કહ્યું, 'પહલગામની ઘટનાથી દેશ દુ:ખી'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ "મન કી બાત" સંબોધનમાં પહલગામ આતંકવાદી હુમલા પર વાત કરી. તેમણે કહ્યું, પહલગામની ઘટનાથી દેશ દુ:ખી. આ હુમલો કાયરતાની નિશાની દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે ઘટનાથી મારા મનમાં ખૂબ દુ:ખ."ભારતના લોકોમાં જે ગુસ્સો છે તે આખી દુનિયામાં છે.આ આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાંથી સતત શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક નેતાઓએ પણ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ જઘન્ય આતંકવાદી હુમલાની દરેક વ્યક્તિએ સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મન કી બાતના 121મા એપિસોડમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, "પહલગામમાં થયેલો આ હુમલો આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓની હતાશાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, ત્યારે રાષ્ટ્ર અને જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને તે ગમ્યું નહીં. આતંકવાદીઓ અને તેમના આકાઓ કાશ્મીરને ફરી એકવાર બરબાદ કરવા માંગે છે. તેથી જ આટલું મોટું કાવતરું ઘડવામાં આવ્યું. આતંકવાદ સામેના આ યુદ્ધમાં, રાષ્ટ્રની એકતા આપણી સૌથી મોટી તાકાત છે.આપણે આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત બનાવવો જોઈએ."