રિપોર્ટ@દેશ: PM મોદીએ આજે કેરળમાં સભા ગજવી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

 
મોદી
આદિ શંકરાચાર્યની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને લોકસભાના સાંસદ શશિ થરૂર સહિત ઘણા મહેમાનો હાજર રહ્યા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે આ ઘટના પછી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે. તેમણે જણાવ્યું કે આજના કાર્યક્રમથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે અને તે જ્યાં જતો હતો ત્યાં જ ગયો છે. તેમણે આદિ શંકરાચાર્યની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે આદિ શંકરાચાર્યએ સમગ્ર દેશમાં આધ્યાત્મિક ચેતનાનું જાગરણ કર્યું હતું.આ કાર્યક્રમમાં તેઓએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે અદાણીએ ગુજરાતમાં જે બંદર બનાવ્યું છે તે કરતાં પણ વધારે આધુનિક અને શક્તિશાળી બંદર વિઝિંજામમાં બન્યું છે. પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમને પણ નિશાન બનાવ્યા  બંદરનું નિર્માણ અંદાજે રૂ.8,800 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ બંદર ખાસ કરીને ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે મોટા આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજો માટે બનાવાયું છે. પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ પ્રવૃત્તિ વિદેશી બંદરોમાં થતી હતી, જેનાથી ભારતને ઘણું આર્થિક નુકસાન થતા હતું. હવે આ બંદરથી એ સ્થિતિમાં બદલાવ આવશે.