રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજે 5 વાગ્યે દેશને સંબોધન કરશે, કયા મુદ્દે વાતચીત કરશે? જાણો
Sep 21, 2025, 13:02 IST

તેમનું આ સંબોધન મહત્ત્વપૂર્ણ બની શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધન કરશે. તેમનું આ સંબોધન સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. જોકે કયા મુદ્દે તેઓ સંબોધન કરવાના છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ હા આવતીકાલથી દેશભરમાં જીએસટી ઘટાડા લાગુ થઇ રહ્યા છે ત્યારે તેમનું આ સંબોધન મહત્ત્વપૂર્ણ બની જાય છે.
છેલ્લે 2014થી જ્યારથી પીએમ મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારે પીએમ મોદીએ જ્યારે પણ દેશને સંબોધન કર્યું છે ત્યારે કોઈને કોઈ મોટા નિર્ણયો સામે આવ્યા છે. હાલ સ્પષ્ટ નથી કે પીએમ મોદી યુએસ ટ્રેડ વોર અને H-1B વિઝા વિવાદ પર વાત કરશે કે નહીં. નિષ્ણાતો કહે છે કે હાલમાં પીએમ તેમના ભાષણમાં આ મુદ્દાઓ પર વાત નહીં કરે કેમ કે આ ખૂબ જ સંવેદનશીલ અને ઊંડા રાજદ્વારી મામલા છે. તેનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવામાં આવશે.