રિપોર્ટ@દેશ: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓને કર્યા ઠાર

 
આતંકવાદી
અન્ય હથિયારો પણ મળી આવ્યા છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ તેમની ઓળખ કરી રહી છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસને નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર માડ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર નારાયણપુર પોલીસ અને દંતેવાડા પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન એન્કાઉન્ટર થયું અને 30 નક્સલવાદીઓ માર્યા ગયા.બસ્તર ક્ષેત્રના IGએ જણાવ્યું કે, આ ઓપરેશન નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સીમામાં આવેલા થુલથુલી ગામના જંગલમાં કરવામાં આવ્યું હતું. તેમની હાજરીની માહિતી મળતાં જ નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાંથી સુરક્ષા દળોની ટીમો મોકલવામાં આવી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ અને STFના જવાનો હતા. અધિકારીએ જણાવ્યું કે, બપોરે લગભગ 1 વાગે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને 24 નક્સલીઓને ઠાર કર્યા. તેમના મૃતદેહ, AK-47 અને SLR અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે.

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. જે નક્સલવાદીઓ મુખ્ય પ્રવાહમાં પાછા આવવા માગે છે તેમને પણ વિશેષ ઓપરેશન હેઠળ પાછા આવવાની તક આપવામાં આવી રહી છે. આટલા પ્રયત્નો છતાં જે લોકો નક્સલવાદનો માર્ગ નથી છોડી રહ્યા અને શાંતિની પુનઃસ્થાપનામાં અવરોધો બની રહ્યા છે તેઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.