રિપોર્ટ@દેશ: શું આ રાજ્યમાં સરકાર બદલાશે? દિગ્ગજ નેતાએ કર્યો મોટો દાવો, જાણો વિગતે

 
સરકાર

જ્યારે સરકાર બદલાશે ત્યારે અમે ખેડૂતો માટે કામ કરીશું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં જ લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ અને તેમાં ઈન્ડિયા ગઠબંધને ભાજપના નેતૃત્વવાળા એનડીએ માટે મોટો પડકાર પણ ઊભો કર્યો. એનડીએને બહુમત મળી ગયું પરંતુ ઈન્ડિયા ગઠબંધને પણ 235 સીટો મેળવી. મહારાષ્ટ્રમાં પણ વિપક્ષી ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું. આ બધા વચ્ચે 48માંથી 41 સીટો મેળવી લીધી. લોકસભા ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના રાજકારણના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડ્યો.

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પોતાની પાર્ટીઓના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવાના આદેશ આપી દીધા છે. શરદ પવારે તો જનતા વચ્ચે જવાનું પણ શરૂ કરી દીધુ છે. અલગ અલગ ગામડાઓમાં ખેડૂતો અને ગ્રામીણો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે તેઓએ ખેડૂતો અને ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે ચાર છ મહિના રાહ જુઓ, હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે બધાએ રસ્તાઓ પર ઉતરવું પડશે. તેમણે પુરંદર તાલુકાના કોલવિહિરામાં દુષ્કાળ પ્રભાવિત ખેડૂતો સાથે વાત કરી.

તેમણે કહ્યું કે તમે ચાર છ મહિના રાજ જુઓ. હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. જ્યાં સુધી આ સરકાર નહીં બદલાય, અમે ખેડૂતો માટે જે નીતિઓ ઈચ્છીએ છીએ તે લાગૂ કરી શકીશું નહીં. જ્યારે સરકાર બદલાશે ત્યારે અમે ખેડૂતો માટે કામ કરીશું. પવારે કહ્યું કે તેમને નથી લાગતું કે હાલની શિવસેના ભાજપ-એસીપીની સરકાર આ સમસ્યાઓને સમજે છે.