રીપોર્ટ@ધાનેરા: વિવાદાસ્પદ દબાણને લઇ સમાજમાં રોષ, સાધુ-સંતોએ આપી સમાધિની ચિમકી

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા ધાનેરા તાલુકાના ગામે આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ ગોસ્વામી સમાજના સાધુ-સંતો અને આગેવાનો હરકતમાં આવ્યા છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા ગામે વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરીવારની સમાધિસ્થળ ના હટાવે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુ-સંતોએ હવન કર્યો છે. જેમાં તંત્રને સદબુદ્ધિ આવે અને
 
રીપોર્ટ@ધાનેરા: વિવાદાસ્પદ દબાણને લઇ સમાજમાં રોષ, સાધુ-સંતોએ આપી સમાધિની ચિમકી

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા

ધાનેરા તાલુકાના ગામે આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ ગોસ્વામી સમાજના સાધુ-સંતો અને આગેવાનો હરકતમાં આવ્યા છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા ગામે વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરીવારની સમાધિસ્થળ ના હટાવે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુ-સંતોએ હવન કર્યો છે. જેમાં તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે હવન કરી કુદરતને પ્રાર્થના કરી હતી. જો તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો અખાડામાંથી આવેલા સાધુઓએ જીવતા સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારતાં ચોંકાવનારી સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ધાનેરા: વિવાદાસ્પદ દબાણને લઇ સમાજમાં રોષ, સાધુ-સંતોએ આપી સમાધિની ચિમકી

બનાસકાંઠા જીલ્લાના છેવાડે આવેલા ધાનેરા તાલુકાના બાપલા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ દબાણ મુદ્દે વિવાદ ચાલતો હતો. જેમાં આજે વહેલી સવારથી જ મામલતદાર, ટીડીઓ ડી.વાય.એસ.પી સહિતનો પોલિસનો કાફલો બાપલા ગામે પહોંચ્યો હતો. જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખુ ગામ પોલિસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. તંત્ર દ્રારા વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરીમાં ગૌસ્વામી સમાજના સમાધિસ્થાનનો પણ સમાવેશ થાય છે. જોકે આ સમાધિ સ્થળ ન હટે તે માટે સાધુ સંતો મહંતો અને અગ્રણીઓએ અત્યાર સુધી પૂરતા પ્રયાસો કર્યા હતા.

રીપોર્ટ@ધાનેરા: વિવાદાસ્પદ દબાણને લઇ સમાજમાં રોષ, સાધુ-સંતોએ આપી સમાધિની ચિમકી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ગૌસ્વામી સમાજના સાધુ સંતો મહંતોએ હવન શરૂ કર્યો હતો. ગોસ્વામી સમાજ અને સાધુ-સંતો મહંતોએ જણાવેલ માહિતી અનુસાર 1990માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગૌસ્વામી સમાજને જમીન ફાળવવામાં આવી હતી અને તે જ સર્વે નંબરની જમીનમાં આજે પણ અહીં ગોસ્વામી સમાજનો પરિવાર રહે છે અને બાજુમાં બનાવવામાં આવેલી સમાધિ સ્થળની જાળવણી રાખે છે. સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર પોતાની મનમાની ચલાવી ગરીબ પરિવારને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે આ મુદ્દે ગૌસ્વામી સમાજ દ્વારા હાઇકોર્ટેમાં અરજી કરવામાં આવી છે જે સુનાવણી પણ પેન્ડિંગ હોવા છતાં સમાધિ સ્થળને દબાણ માની હટાવી રહ્યા છે તેવું સાધુ-સંતોનું કેહવું છે.