રીપોર્ટ@ગુજરાત: બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કુવાઓ બનશે

 
Bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત આજે 50,000 રિચાર્જ કુવાઓનું નિર્માણ શરૂ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામમાંથી આ અભિયાનને લીલી ઝંડી આપી છે. રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જળ એ જીવન છે અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે.સમગ્ર દેશમાં ભૂગર્ભ જળને બચાવી શકાય તથા તેના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ વરસાદી પાણી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ અભિયાનને “જન આંદોલન” બનાવવાની અપીલ કરી હતી, જેથી દરેક નાગરિક પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બની શકે અને આનું સારું પરિણામ મળી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં 50 હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે જેનું મહાનુભાવોના હસ્તે ખાતમુર્હુત કરાશે. જેમાં 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે.

બનાસકાંઠામાં જળ સંચયને લગતા કાર્યો થકી આગામી સમયમાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવી શકાશે અને જળ સંચયનું કાર્ય કરી શકાશે. સમગ્ર રાજયમાં 1 લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ થયા, ગુજરાતમાં અલગ- અલગ યોજનાઓથી પાણીને લઈ કામગીરી કરાશે.આપણી સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનું સ્થાન મળ્યું છે, જન શકિતને જળ શકિત સાથે જોડવામાં આવશે. ભૂર્ગભ ઝળ ઉંચા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.