રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 540 કેસ નોંધાયા, 27 દર્દીના મોત

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 540 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 312 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 27 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, જ્યારે મહેસાણા અને સુરેન્દ્રનગરમાં
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 540 કેસ નોંધાયા, 27 દર્દીના મોત

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 540 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 312 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 27 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, જ્યારે મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1619 થયો છે. રાજ્યમાં અત્યારે કુલ 6412 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6345 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 18167 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 540 કેસમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 206, સુરતમાં 55, વડોદરામાં 21, આણંદમાં 8, ભરુચ, પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર, ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ, રાજકોટમાં 3-3, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં 2-2 જ્યારે અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.