રિપોર્ટ@ગુજરાત: આરોગ્યકર્મીઓ કામ પર પરત નહીં ફરે તો થશે કાર્યવાહી, હડતાલ અંગે સરકારનું મોટું એક્શન

 
હડતાળ
રાજ્ય સરકારે હડતાલ સામે ‘એસ્મા’ લાગુ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતનાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. લે બોટાદમાં આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગણી કરાઈ છે. જો ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે તેવી વાત પણ સામે આવી હતી. જો કે, હવે આ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે. આરોગ્યકર્મીઓની હડતાળ અંગે રાજ્ય સરકારે મોટું એક્શન લીધું છે. જે અંતર્ગત હડતાળ સામે રાજ્ય સરકારે ‘એસ્મા’ લાગુ કર્યો છે.

આરોગ્યકર્મીઓ કામ પર પરત નહીં ફરે તો કાર્યવાહી પણ થઈ શકે છે. આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવામાં આવરી લેવાઇ છે. ફિક્સ-પે કર્મચારીઓ હડતાળ કરે ત્યારે સેવા સમાપ્તિ સુધીની વિચારણા પણ થઈ શકે છે. નોંધનીય છે કે, પોલીસ, ઊર્જા જેવા વિભાગોની સેવા પહેલેથી છે ‘એસ્મા’ અંતર્ગત આવરી લેવામાં આવી છે. ગઈકાલે બોટાદમાં આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

એમપી, એચ.ડબલ્યૂ, એફએચ ડબલ્યૂ સહિતનાં કર્મચારીઓ જોડાયા હતા. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની આરોગ્ય કર્મચારીઓની માગ છે. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગ ઊઠી છે. જ્યારે, ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે એવી પણ વાત સામે આવી હતી. આ પહેલા દ્વારકાનાં ખંભાળિયામાં પણ આરોગ્યકર્મીઓ હડતાળ પર ઊતર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ અંગે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું.