રિપોર્ટ@ગુજરાત: NEET પરીક્ષા ગેરરીતિ મામલે CBIએ અમદાવાદ, ગોધરા સહિત 7 જગ્યાએ પડ્યા દરોડા

 
નીત કૌભાંડ

આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરા NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરૂષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે.NTA દ્વારા આ પરીક્ષાને લઇને 3 કોલેજ અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી. પરીક્ષા માટે નિયુક્ત સીટી કૉ ઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરૂષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવી હતી.

NEET પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરૂષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CBIની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ અથવા NEET UG2024નું આયોજન 5 મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NEET UGનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત-બિહાર સહિત કેટલાક રાજ્યમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપ લાગ્યા હતા.