રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, કુલ 71કેસ, 27 દર્દીઓના મોત
કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસ બીજા શબ્દોમાં કહીએ તો ચાંદીપુરા વાયરસના કુલ -૭૧ કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા-૦૮, અરવલ્લી- ૦૪, મહીસાગર-૦૨, ખેડા-૦૫, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૨, વડોદરા કોર્પોરેશન-૦૧, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧ રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.
આ કુલ 71 શંકાસ્પદ કેસોમાંથી પોઝિટિવ કેસો પર નજર કરીએ તો સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૨, મહેસાણા-૦૨, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૧, મોરબી-૦૧, વડોદરા-૦૧ એમ કુલ -૦૯ કેસ પોઝીટીવ મળેલ છે.ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૭૧ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, મહેસાણા- ૦૨, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૪, મોરબી- ૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૨૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના -૪૧ દર્દી દાખલ છે તથા-03 દર્દીઓને રજા આપેલી છે. રાજસ્થાનના-૦૨ કેસો જેમાં-૦૧ દર્દી દાખલ છે તેમજ-૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો- ૦૧ કેસ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૭૨૪૮ ઘરોમાં કુલ ૧૨૧૮૨૬ વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે