રીપોર્ટ@ગુજરાત: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. લોકોને પીવાના પાણી અને ખેડૂતોને ચિંસાઈનું પાણી મળે તે માટે નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ તા. 30મી જુન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે 16150 MCFT પાણી આપવામાં આવશે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.