રિપોર્ટ@ગુજરાત: ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, કાલે રથયાત્રામાં જોડાશે

 
અમિત શાહ

રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે રાત્રે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. બે દિવસ દરમિયાન અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિનની રાષ્ટ્રીય ઉજવણી નિમિતે તેઓએ આજે સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું ઉદઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત દેશની અગ્રણી સંસ્થાઓના 200 પ્રતિનિધિઓ, રાજયના પાંચ હજાર આગેવાનો હાજર રહ્યા છે.સહકારિતા મંત્રાલય દ્વારા ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વન અમ્બ્રેલા કાર્યક્રમના મોડેલ પ્રોજેકટ નિહાળવા જશે. તેઓ બનાસકાંઠામાં મહિલા દૂધ ઉત્પાદકો માટેના શૂન્ય વ્યાજવાળા રૂપે ક્રેડીટ કાર્ડનો આરંભ કરાવશે. રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે.