રિપોર્ટ@ગુજરાત: ભાજપની કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, શું કહ્યું? જાણો

 
સી આર પાટીલ

બેઠક સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાળંગપુરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં સી.આર. પાટીલે મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. સાળંગપુર BAPS મંદિરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજર છે.

બેઠક શરૂ થતાં પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજારોહણ કર્યું. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત છે. કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવશે. બેઠક સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે.સાળંગપુરમાં યોજાનારી ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક પહેલા તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પ્રદેશ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે સી.આર. પાટીલ બંને જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે. મંત્રીમંડળમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું.