રીપોર્ટ@ગુજરાત: અમિત શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેએ કર્યો કટાક્ષ, જાણો વિગતે

 
ખડગે

શાહની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રયાગરાજ મહાકુંભને લઈને ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશના મહુમાં કોંગ્રેસની જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે, શું ગંગામાં ડૂબકી લગાવવાથી યુવાનોને રોજગાર મળશે?, શું ગરીબી નાબૂદ થશે? શું આપણને ખાવા માટે ખોરાક મળશે?તેમણે કહ્યું કે, હું કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. દેશમાં બાળકો શાળાઓમાં નથી જઈ રહ્યા, મજૂરોને મજૂરી નથી મળી રહી.

તેઓએ કહ્યું કે, લોકો ડૂબકી લગાવાની સ્પર્ધા કરી રહ્યા છે. ટીવીમાં સારી રીતે ડૂબકી ન લાગે ત્યાં સુધી ડૂબકી લગાવતા રહો. આપણે બધા ધર્મમાં શ્રદ્ધા રાખીએ છીએ. ધર્મ આપણા બધા સાથે છે, પરંતુ જો કોઈ પણ સમાજમાં ધર્મના નામે ગરીબોનું શોષણ થાય તો આપણે તેને ક્યારેય સહન કરીશું નહીં.ખડગેએ વધુમાં કહ્યું કે, બાબા સાહેબનો ઉદ્દેશ્ય લોકોમાં સમાનતા સ્થાપિત કરવાનો હતો અને આ માટે તેમણે ઘણા કાયદા બનાવ્યા. જો કોઈએ તેમને સંપૂર્ણ ટેકો આપ્યો હોય, તો તે પંડિત નેહરુ અને મહાત્મા ગાંધી હતા. સમર્થન મળ્યા પછી જ બાબા સાહેબ આંબેડકર બંધારણ સભાના પ્રમુખ બન્યા. જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારે એક થઈને સખત મહેનત કરવી જોઈએ. જ્યાં સુધી તમે એક નહીં થાઓ, ત્યાં સુધી તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.